INS – ઐરાવત ૧૦૦ ટન ખાદ્ય સહાય સાથે સુદાન પહોંચ્યું..
: મિશન સાગર – ૦૨ નાં ભાગરૂપે ‘ભારતીય નૌકા શિપ’ ( INS ) “ઐરાવત” ૧૦૦ ટન ખાદ્ય સહાય સાથે સુદાન પહોંચ્યું..
: મિશન સાગર – ૦૨ અંતર્ગત INS ઐરાવત કોવિડ – ૧૯ રોગચાળા વચ્ચે સુદાન, દક્ષિણ સુદાન, જબુતી અને એરિટ્રિયાને અન્ન સહાય પહોંચાડશે..
: ભારત સરકારે કુદરતી આફતો અને કોવિડ – ૧૯ રોગચાળાને પહોંચી વળવા મૈત્રીપૂર્ણ વિદેશી દેશોને સહાયતા આપવા મિશન સાગરની પહેલ શરૂ કરી છે..
: મિશન સાગર – ૦૨ એ મિશન સાગર – ૦૧ નું સ્થાન લેશેજે મે – જૂન ૨૦૨૦ માં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતે માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોઝને ખોરાક અને દવાઓ પ્રદાન કરી હતી..
: Security And Growth For All In The Region (SAGAR) ભારત દ્વારા તેના સમુદ્રી પડોશીઓ સાથેના સંબંધોને મહત્ત્વ આપવા અને હાલના સંબંધને વધુ મજબૂત કરવા શરૂ કરાયું છે..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)