રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ – “ભારતમાં”..
: દર વર્ષે ૦૭ નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ” ( National Cancer Awareness Day ) ની ઉજવણી કરવામાં આવે છે..
: વર્ષ ૨૦૧૪ માં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કૅન્સરની પ્રારંભિક તપાસ અને ઉપચાર પર ભાર આપવા માટે આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો..
: જ્યારે શરીરમાં આવેલી કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય છે ત્યારે તે અન્ય પેશી પર હુમલો કરે છે અને શરીરના વિવિધ ભાગોને ગંભીર અસર કરે છે જેને કૅન્સર કહેવામાં આવે છે..
વિશેષ :-
: વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ૦૪ ફેબ્રુઆરીનાં રોજ કરવામાં આવે છે..
: ભારતમાં કરોડો લોકો કૅન્સરની બીમારીઓથી પીડાય છે અને હજારો લોકો મોતને ભેટે છે..
સારવાર માટે લાઈનમાં રહેલાં દર્દીઓ..
: ભારતનાં પંજાબ રાજ્યનાં “ભટીન્ડા/Bathinda” થી રાજસ્થાનનાં “બિકાનેર” સુધી કૅન્સર એક્સપ્રેસ દોડાવવામાં આવે છે જેમાં મોટાભાગનાં લોકો કૅન્સરનાં દર્દી હોય છે..
કૅન્સર એક્સપ્રેસમાં રહેલ દર્દી..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)